જય સચીદાનંદ, દાદાની વાણી એટલે પ્રત્યક્ષ સરસ્વતી. સુદાનમાં અનસુયાબેનને ત્યાં સંતો અને સાધુઓ ઘરે પધરામણી કરતા, અને રાત્રે સત્સંગ થાય ત્યારે અમારે એક જ સવાલ કે આપ આત્માને જાણો છો? તો અમને પણ બતાવી શકો. તો કહે ના, તમે આગળ આગળ જાશો ત્યારે કોઈ ગુરુનો ભેટો થશે ત્યારે આત્મા પ્રાપ્ત થશે. પછી તો એમાં થાય કે ક્યારે એવા ગુરુ મળે અને આત્માને ઓળખાવે, આજ ભાવના સતત રહ્યા કરે. પણ આજ અવતારે જાણવો જ હતો. ફરી મહામૂલો મનુષ્ય અવતાર મળે કે ના મળે.ગીતાજી રો વાંચતા તા પણ સમય નહિ. મીરાંબાઈએ પણ કહ્યું હતું કે આત્માને જાણ્યા વગર લાખરે ચોરાસી ના ફેરા કેમરે તળે. નરસિંહ મેહતાએ પણ ગયું હતું એ આત્મા તત્વ આણ્યો નહિ ત્યાં લગણ સાધના સર્વે જૂઠી.કૃપાળુ દેવ પણ બોલ્યા હતા કે જેણે આત્માને જાણ્યો તેણે સર્વસ્વ જાણ્યું. આ બધું જ્ઞાન વગર ના સમજાય.એ પ્રત્યક્ષ નિરૃમને મળવાનો વખત આવ્યો. ૧૯૯૪માં પિન્કીબેનના મધર વર્ષાબેને અમને ફોને કર્યો કે જ્ઞાની પુરુષ આવ્યા છે. અને બેજ કલાકમાં જ્ઞાન વિધિ કરાવે છે અને આત્માની ઓળખાણ કરાવે છે. અમે પહોંચી ગયા, નીરૂમાના દર્શન કર્યા, એમને જોતાજ માથું ઝૂકી પડ્યું. એમજ થઇ ગયું કે જે જોઈતું હતું એ બધુજ મળી ગયું. પછી તો એમને છોડવાનું માનજ ના થાય. જયારે જયારે લન્ડન આવે ત્યારે માથામાં તેલ નાખવું, પગ દબાવવા,જાણે ભગવાનની સેવા. મને દાદા મળ્યા, ભગવા ના મળ્યા. મારા પૂર્વ જન્મના ફેરા ટળ્યા. રંગાઈ ગયા, નિરૃમને યાદ ના કરીએ ત્યાં સુધી ગાડું આગળ ના ચાલે. દાદાના એક એક પુસ્તાકોતો જ્ઞાનનો ખજાનો છે. લૂંટાય એટલો લૂંટજો. જ્યાં સૂઝ ના પડતી તો આપ્તવાણી કે દાદાવાણી અગર તો ચાર નાની બૂકો તાળા ખોલી આપે છે. અને બધું સમજાય જાય. શાસ્ત્રોમાં પણ ના મળે એવી અદભૂત વાણી. એક દાદાવાણીમાં દાદાજી ખુબજ સરસ કહે છે કે અમે તમને ભગત બનાવવા નથી આવ્યા, અમે તો તમને ભગવાન બનાવવા આવ્યા છીએ.જ્ઞાન આપ્યું એટલે પુરુષ બનાવ્યા, અને પુરુષાર્થ કરી પુરુષોત્તમ બનવાનું છે. દાદાશ્રી કહે છે કે પ્રકૃતિ શું કરે છે એ જોયા કરો. ગણાતા દ્રષ્ટા રહેવાનું. તો અમારા જેવા ભગવાન થઇ જશો. દાદા માટે આહો આહો થઈ જાય. શું મળ્યું છે? જેમ જેમ વૅલ્યુ વધતી જશે તેમ તેમ જાગૃતિ વધતી જશે. કેટલી સરસ ૫ આજ્ઞા દાદાએ આપી છે. ૭૦% પડાઈ તો પણ દાદા કહે છે કે એક અવતારી બનાવીશું. છુટવુજ છે હા દાદા. જ્ઞાનીઓ તો કહે છે કે કામ કાઢી લ્યો, કામ કાઢી લ્યો સમય ઓછો છે. અનંત અવતાર ભટક્યા, હવે ભટકવું નથીજ દાદા. જરાય વિશેષતામાં આવ્યા વગર નીકળી જાવ. ગમે તેવા તુફાનમાં દાદાની નાની બુક બન્યું તે ન્યાય વાંચો એટલે શાંતિ થઇ જાય. કશામાં ઊંચું નીચું ના થાય. જેમ જેમ સત્સંગ માં જઈશું તો એમ લાગે છે કે મારાજ પ્રશ્નો ના જવાબ આપે છે. આવી ઠંડક તો ક્યાંયે મળી નથી. ૧૩મી આપ્તવાણી તો હું, બાવો અને મંગળદાસ શું સરસ રીતના સમજાય એ રીતના દાદા એ સમજાવ્યું છે. ૧૩ આપ્તવાણી તો મુકવાનું મન જ ના થાય. દાદાએ જીવતા શીખવ્યું.દાદાની એક એક વાણી કેટલીયે શ્રેણીઓ ચઢાવી દ્યે છે. અનુભવમાં પણ આવે છે. માલિકી વગરની વાણી. અલૌકિક વાણી વધારે વધારે સમજીયે તેમ તેમ આવરણો તૂટતાં સમજાતું જાય છે. દાદાએ કઈ કરવાનું કહ્યુજ નથી. થઇ રહ્યું છે. કરતા કોઈ નથી. જગત નિર્દોષ જ છે. ફાઈલ નંબર ૨, ૩ અને ૪. અજય અને રાજ એમજ કહે છે કે અમે માણસ બન્યા હોઈ તો આ દાદાની, નિરૃમાનિ અને દીપકભાઈની કૃપાથીજ. નહિ તો ખબર નથી કે ક્યાં હોત.દાદાશ્રીની, નિરૃમાનિ એન્ડ દીપકભાઈની ખુબ ખુબ કૃપા છે. અને સર્વે જીવો પર કૃપા વરસતીજ રહે એવી ભાવના છે.સિદ્ધસ્તૂતિ ૧૪મી આપ્તવાણી વાંચતા જ ઠંડક થઇ જાય. અને જ્યારે યારે નવરા હોઈએ ત્યાર ચાલુ થઇ જાય (આત્માના ગુણો ગાવાનું). ખુબજ આનંદ મંગલ થાય છે. અને સિદ્ધસ્તૂતિ પ્રકાશમાન થાય છે. નીંદરમાં પણ આજ ચાલતું હોય. પછી શું જોઈએ. દાદા જગતનું કલ્યાણ કરજો. આ દાદાનું જ્ઞાન પામો. સુખ શાંતિ અને તંદુરસ્તીને પામો, આજ ભાવના છે. "દાદા ભગવાનના અસીમ જય જયકાર હો" *